text: વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ યશવંત સિન્હા ભાજપથી નારાજ હતા. આ નારાજગી બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. જોકે, યશવંત સિન્હાના દીકરા જયંત સિન્હા હજુ પણ ભાજપ સાથે જોડાયેલા છે અને ઝારખંડની હઝારીબાગ લોકસભા સીટના સાંસદ છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેમને મંત્રી પણ બનાવાયા હતા. યશવંત સિન્હા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સતત શાબ્દિક પ્રહાર કરતા રહ્યા છે. કોણ છે યશવંત સિન્હા? યશવંત સિન્હા 1960માં IAS માટે પસંદગી પામ્યા હતા અને આખા ભારતમાં તેમને 12મું સ્થાન મળ્યું હતું. આરા અને પટનામાં કામ કર્યા બાદ તેમની સંથાલ પરગનામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. યશવંત સિન્હાએ 2009ની ચૂંટણી જીતી પરંતુ 2014માં તેમને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી ન હતી. નરેન્દ્ર મોદી સાથે મતભેદ બાદ 2018માં 21 વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. યશવંત સિન્હા ભાજપમાં ન સંઘમાંથી આવ્યા હતા ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી. 24 વર્ષ સુધી IASની ભૂમિકામાં રહ્યા બાદ 1984માં તેઓ રાજકારણમાં જોડાયા. 1990માં તેઓ ચંદ્રશેખરની સરકારમાં નાણામંત્રી બન્યા હતા. નરેન્દ્ર મોદી સાથે ન બન્યું યશવંત સિન્હા 2009ની ચૂંટણી જીત્યા પરંતુ 2014માં તેમને ભાજપે ટિકીટ ન આપી. ધીમે ધીમે નરેન્દ્ર મોદી સાથે તેમનું અંતર વધવા લાગ્યું અને અંતે 2018માં 21 વર્ષ સુધી ભાજપમાં રહ્યા પછી તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. યશવંત સિન્હા કહે છે, 'જોકે, મેં એ વાતની હિમાયત કરી હતી કે મોદીજીને વડા પ્રધાન બનાવવામાં આવે પરંતુ 2014ની ચૂંટણી આવતા આવતા મને એ વાતનો આભાસ થયો હતો કે તેમની સાથે ચાલવું મુશ્કેલ હશે. એટલે મેં નક્કી કર્યું કે હું ચૂંટણી નહીં લડું.' પાર્ટીએ મારી જગ્યાએ મારા દીકરાને એ સીટ ઑફર કરી. તે જીત્યા અને મોદીજીએ તેમને મંત્રી બનાવ્યા. જોકે હવે તે મંત્રી નથી 2019ની ચૂંટણી જીત્યા પછી પણ. આ પછી પણ હું નરેન્દ્ર મોદીને સૂચન આપતો રહ્યો. અલગ અલગ મુદ્દા પર તેમને પત્ર લખતો રહ્યો. મારું અને તેમનું અંતર વધ્યું કાશ્મીરના મુદ્દાને લઈને. હું ઇચ્છતો હતો કે કાશ્મીરમાં વાજપેયીની નીતિઓનું અનુસરણ થાય. તેમની નીતિ માણસાઈ, જમહૂરિયત અને કશ્મીરિયતની હતી. 'મારું માનવું હતું કે કાશ્મીરમાં તમામ સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવામાં આવે. વાજપેયીજીના સમયમાં હુર્રિયત સાથે પણ વાતચીત થઈ હતી.' કાશ્મીર પર મતભેદ યશવંત સિન્હા આગળ કહે છે, 'જ્યારે 2016માં કાશ્મીર ઘણું અશાંત થઈ ગયું હતું તો અમે કાશ્મીર ગયા હતા. એક સમૂહની સાથે હું જ્યારે કાશ્મીર ફરીથી ગયો ડિસેમ્બર, 2016માં તો મને લાગ્યું કે એક રસ્તો નીકળી શકે છે. મેં શ્રીનગરથી વડા પ્રધાન કાર્યાલયને ફોન કરીને કહ્યું કે હું તેમને મળવા માગું છું.' 'તેના પછી મેં અનેક વખત તેમને મળવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમણે મને સમય ન આપ્યો. હું ગૃહ મંત્રીને પણ મળ્યો. ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. જ્યારે મારી અંદર સવાલ ઉઠવા લાગ્યો કે આ લોકો કાશ્મીરમાં કેમ વાતચીત અને શાંતિનો રસ્તો અપનાવવા નથી માગતા?' પછી મેં ભારતની આર્થિક સ્થિતિ વિશે ઇન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ લખ્યો હતો. જો તે સમયે મારી વાત સાંભળવામાં આવતી તો ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ આજે છે તેવી ન થતી. પરંતુ વાત સાંભળવાથી તો દૂર પણ મારા વિશે એમ કહેવામાં આવ્યું કે આ 80 વર્ષની ઉંમરમાં નોકરી શોધી રહ્યા છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણાં અને વિદેશ મંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હા શનિવારે કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થયા છે.